NPS કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવા બાબત

By P.Raval
1 Min Read
NPS કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવા બાબત

નવ વર્ધિત પેન્શન યોજના  હેઠળના ફિક્સ પગારની સેવામાં જોડાઈને નિવૃત્ત થતા તમામ NPS શિક્ષક કર્મચારીઓને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવા બાબત.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ અંગે રજૂઆત કરેલ છે કે આપની કચેરીના સંદર્ભ-૧ મુજબના પત્ર અનુસાર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના નવ વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળના એક કર્મચારીને ફિક્સ પગારની સેવામાં જોડાઈને નિવૃત્ત થતા રજાનો રોકડ રૂપાંતરનો લાભ આપવા મંજૂરી મળેલ છે.

NPS ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવા બાબત.

સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ કર્મચારીઓ કે જેઓ નવ વર્ધિત પેન્શન યોજના (NPS) હેઠળ જોડાયેલા છે. આવા શિક્ષક કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યારે ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ મળવો જોઈએ,તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની લાગણી છે.

મૌખિક માહિતી અનુસાર કોર્ટના જજમેન્ટના આધારે આ રોકડ રૂપાંતરણ આપવા માટે નાણા વિભાગ દ્વારા શિક્ષણ વિભાગને સૂચના મળેલ છે. ભૂતકાળમાં ઘણા કિસ્સાઓમાં નીતિવિષયક બાબતોમાં હાઇકોર્ટના ચુકાદાના આધારે સરકાર દ્વારા મોડો નિર્ણય લેવાતા હજારો કર્મચારીઓને કોર્ટનો આશરો લેવો પડ્યો હોય તેવા કિસ્સા ધ્યાને છે. આ કિસ્સામાં પણ આવું ન બને તે અંગે તાત્કાલિક યોગ્ય કરવા આપશ્રીને નમ્ર વિનંતી કરેલ છે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version