NEET Exam Latest News: પ્રવેશના નિયમોમાં કરાયો સૌથી મોટો ફેરફાર

By P.Raval
1 Min Read
NEET Exam Latest News

NEET Exam Latest News:ધો.12માં બાયોલોજી ન હોય છતા પાછળથી બાયોલોજી વિષય પાસ કરીને પ્રવેશને માન્યતા, વિદેશ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓને પણ આ નિર્ણય થશે ઉપયોગી

  • મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
  • નેશનલ મેડિકલ કમિશન દ્વારા પ્રવેશના નિયમોમાં કરાયો ફેરફાર
  • NEETની પરીક્ષા બાયોલોજી વિષય વગર પણ આપી શકાશે

NEET Exam Latest News

મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેશનલ મેડિકલ કમિશન દ્વારા પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરવામાં આવેલ ફેરફાર મુજબ હવે NEETની પરીક્ષા બાયોલોજી વિષય વગર પણ આપી શકાશે. મહત્વનું છે કે, 2024થી બાયોલજી વગર NEET પરીક્ષા આપી શકાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષા અંગેની જાહેર સુચના

નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા NEET પરીક્ષા બાયોલોજી વિષય પાસ વ્યક્તિ આપી શકતા હતા. જોકે હવે ધો.12માં બાયોલોજી ન હોય છતા પાછળથી બાયોલોજી વિષય પાસ કરીને પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ હવે બાયોલોજી વિષય પાછળથી પાસ કરી મેડિકલમાં પ્રવેશ માટે લાયક બની શકશે. આ નિર્ણય વિદેશ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે.

By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version